હાલના સમયમાં દરેક વ્યક્તિનું બેંકમાં ઓછામાં ઓછું એક બચત ખાતું હોય છે.

તમે તમારા બચત ખાતાને UPI થી લિંક કરીને ઈંટરનેટ બેંકિંગનો લાભ ઉઠાવી શકે છે.

તેમાં જમા કરેલા પૈસા પર તમને બેંકથી વ્યાજ પણ મળે છે, જેનાથી તમારી આવક પણ વધે છે.

પરંતુ શું તમે જાણો છો કે તમે બચત ખાતામાં વધુમાં વધુ કેટલી રકમ જમા કરી શકો છો

તમને જણાવી દઈએ કે બચત ખાતામાં પૈસા જમા કરાવવાની કોઈ મહત્તમ મર્યાદા નથી.

ચાલો જાણીએ શું છે ઈનકમ ટેક્સના નિયમ

સેવિંગ અકાઉંટમાં તમે જેટલા ઈચ્છો તેટલા પૈસા રાખી શકો છો. પરંતુ, તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે તેમાં ફક્ત એટલી રકમ રાખો જે ITR ના દાયરામાં આવે છે.

જો તમે વધારે કેશ રાખો છો તો તમને મળવા વાળા વ્યાજ પર ટેક્સ આપવુ પડે છે.

ITR ફાઇલ કરતી વખતે તમારે આવકવેરા વિભાગને જણાવવું પડશે કે તમારા બચત ખાતામાં કેટલા પૈસા જમા છે અને તમને તેના પર કેટલું વ્યાજ મળે છે.

જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે અને તેના પર તમને બેંક તરફથી 10,000 રૂપિયાનું વ્યાજ મળે છે.

તેથી ઈનકમ ટેક્સ નિયમોના મુજબ તમારી કુલ આવક 10,10,000 રૂપિયા ગણવામાં આવશે.

જો તમે એક નાણાકીય વર્ષમાં તમારા ખાતામાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ જમા કરો છો, તો તમારા માટે આવકવેરા વિભાગને જાણ કરવી મહત્વપૂર્ણ છે.

કારણ કે તે ઈનકમ ટેક્સના દાયરામાં આવે છે. જો તમે આમ નહીં કરો તો આવકવેરા વિભાગ તમારી સામે કરચોરીના આરોપમાં કાર્યવાહી કરી શકે છે.