સોમવતી અમાસ પર આ રીતે કરો ક્રોધિત પિતૃઓને ખુશ

આ વર્ષે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અમાસની તિથિ સોમવારના દિવસે પડી રહી છે, એટલા માટે આ દિવસે સોમવતી અમાસ છે.

વર્ષની પહેલી સોમવતી અમાસ 8 એપ્રિલમાં છે. સોમવતી અમાસ પર સ્નાન-દાન અને પૂજા પાઠનું વિશેષ મહત્વ છે

આ દિવસે પોતાના નારાજ પિતૃઓને ખુશ કરવાનો અવસર પણ હોય છે.

તો ચાલો જાણીએ સોમવતી અમાસ પર પિતૃઓને ખુશ કરવાના ઉપાય અંગે.

MORE  NEWS...

સોમવતી અમાસ પર કરી લો આ નાનકડો ટોટકો, શત્રુઓ ભાગી જશે; 

ખરમાસ પછી બદલાઈ જશે આ રાશિઓનું ભાગ્ય, થશે ચારે બાજુથી ફાયદો

18 વર્ષ બાદ નજીક આવ્યા બુધ અને માયાવી રાહુ, 3 રાશિઓની બદલાઈ જશે કિસ્મત

સવારે સ્નાન કરી પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો. તર્પણમાં કાળા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો.

તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વંશ, ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

સ્નાન અને દાન કર્યા પછી પીપળના ઝાડના મૂળમાં પાણીથી સિંચન કરો. પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માદેવનો વાસ હોય છે.

જો તમે પીપળના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે. તેમના દુઃખનો અંત આવશે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકશે.

ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરો. ત્યાર બાદ મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો.

ભગવાન શિવને બીલીપત્ર ચઢાવો અને શિવલિંગનો જલાભિષેક કરો. વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

સોમવતી અમાસ પર કરી લો આ નાનકડો ટોટકો, શત્રુઓ ભાગી જશે; 

ખરમાસ પછી બદલાઈ જશે આ રાશિઓનું ભાગ્ય, થશે ચારે બાજુથી ફાયદો

18 વર્ષ બાદ નજીક આવ્યા બુધ અને માયાવી રાહુ, 3 રાશિઓની બદલાઈ જશે કિસ્મત