મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેટ કોલ સાથે ઓએનજીસીના શેર માટે ટાર્ગેટ પ્રાઇસ 304 રૂપિયા નક્કી કરી છે. જે 23 એપ્રિલના રોજ બીએસઇ પર બંધ ભાવ 276.75 રૂપિયાથી 7.4 ટકા વધારે છે.
બ્રોકરેજને આશા છે કે કેપિટલ એલોકેશન સ્ટ્રેટેજીમાં સુધારાના કારણે ઓઇલ કંપનીઓનું પર્ફોમન્સ સારું રહેશે. આ ઉપરાંત સ્થિર નિયમોના ઇક્વિટી પર સ્થિર 18-20 ટકા રીટર્નને સપોર્ટ કરે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.
જેફરીઝે હાલમા જ આ કંપનીના શેર પર બાય રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે, જે અનુકૂળ કાચા તેલ અને ગેસ સુધારાઓ સાથે નફાની ટકાવારીમાં સુધારાથી પ્રેરિત છે. બ્રોકરેજે શેર માટે ટાર્ગેટ પ્રાઇસ 390 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
જેફરીઝ જણાવે છે કે, ગેસ પ્રાઇસિંગમાં સુધારાથી ONGCની આવક વધે તેવી શક્યતા છે. હાઇ ઓપરેટિંગ ખર્ચ છતા એનાલિસ્ટ્સનું માનવું છે કે કેજી બેસિનનું ઉત્પાદન લાભદાયક હશે, જેથી રોકાણકારોને એક મોટી ચિંતા દૂર થશે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો