ઘીવાળી રોટલી ખાવાથી શું થાય?

ઘીમાં વિટામિન એ, વિટામિન ઇ અને વિટામીન કેની ભરપૂર માત્રા હોય છે.

રોટલી પર ઘી લગાવીને ખાવાથી તેને પોષક તત્ત્વમાં વધારો થાય છે.

આયુર્વેદમાં રોટલી પર ઘી લગાવીને ખાવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે.

આ રીતે ઘીવાળી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે.

ઘીવાળી રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને તેનાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે. તેનાથી મેદસ્વીતાની ટેન્શન નથી રહેતી.

MORE  NEWS...

ગરમીમાં પાચન નથી થતું? ખાટા ઓડકાર આવે છે? આ દેશી ચૂર્ણ પેટ કરશે સાફ

ઢોંસા તવા પર ચોંટી જાય છે? ખીરું નાંખતા પહેલા આટલું કરો, એકદમ ક્રિસ્પી બનશે

ગરમીમાં દૂધ જલ્દી ફાટી જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે ફ્રેશ

રોટલી પર ઘી લગાવ્યા બાદ તેની ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નીચે આવી જાય છે. તેનાથી ડાયાબિટીસનું રિસ્ક ઓછુ થાય છે અને હેલ્ધી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, રોટલીમાં ઘી લગાવીને ખાવાથી ગટ હેલ્થ સારી રહે છે. તેના સેવનથી ઇન્ટેસ્ટાઇનમાં સોફ્ટનેસ રહે છે.

ઘી પોષક તત્ત્વો અને સેચુરેટેડ ફેટથી ભરપૂર હોવાના કારણે, હાડકા અને નર્વસ સિસ્ટમના સ્વસ્થ કામકાજમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘી વાળી રોટલી ખાવાથી બ્રેન હેલ્થ વધારે છે.

ઘી વાળી રોટલી ગ્લાઇસેમિક લોડને કામ કરવામાં મદદ કરે છે, તેથી નિરંતર એનર્જી પ્રદાન કરે છે. તેનું સેવન કરવાથી શરીરનું એનર્જી લેવલ વધે છે.

ઘીમાં બ્યુરેટિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને શરીરને બીમારીથી લડનાર ટી લિમ્ફોસાઇટ્સ ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેવામાં ઘીવાળી રોટલી ખાવાથી શરીરની ઇમ્યુનિટી વઘારે છે.

ઘી મેટાબોલિઝમને વધારે છે અને રોટલીમા ફાઇબર ખૂબ જ સારી માત્રામાં હોય છે. ઘીવાળી રોટલીનું રોજ સેવન કરવલાથી કબજિયાત દૂર થાય છે.

MORE  NEWS...

ત્રણ ગણી સ્પીડે ડાઉન જશે હાઇ યુરિક એસિડનું લેવલ, ફાંકી જાવ આ દેશી ચૂર્ણ

કપડાની કિનારીમાંથી મેલ નથી નીકળતો? આ વસ્તુમાં પલાળી દો, નીકળી જશે બધી ગંદકી

બાળકને બાળપણમાં જ શીખવી દો આ 7 સારી આદતો, તમને તમારા ઉછેર પર ગર્વ થશે