આ ક્ષણની માવજત માટે ખેડૂતે પાકમાં વૃદ્ધિ થયા બાદ યુરિયા ખાતર આપ્યું હતું.
30 દિવસે યુરિયા ખાતર આપીએ તો, 10 ટનને બદલે 20 ટન ક્ષણનું ઉત્પાદન મેળવી શકાય છે.
હાલ આ ક્ષણના ખેતરમાં રાઈની ખેતી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જાગૃત ખેડૂત દ્વારા આ ક્ષણનું ઉત્પાદન મેળવીને તેને ફરી એ જ ખેતરમાં લીલા પડવાશ તરીકે ઉપયોગ કરવામાં આવશે.
જેનાથી શેરડી સહિતના અન્ય પાકોનું ઉત્પાદન મેળવવામાં ઘણો ફાયદો થશે.
મહત્વનું છે કે, વાલિયા તાલુકાના તુણા ગામના ખેડૂતે ક્ષણની ખેતીના નવતર પ્રયોગને સફળ બનાવી અન્ય ખેડૂતોને પણ પોતાની ખેતીની જમીનમાં પોષક તત્ત્વો પુરા પાડવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
MORE
NEWS...
ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત
ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક
ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા