જો સાંજે દીવામાં 2 લવિંગ નાંખીને પ્રગટાવશો તો તેનાથી ઘરમાં હંમેશા ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. તેનાથી ધનની કમી દૂર થાય છે.
જો તમે ઘીના દીવામાં કાળા મરી નાંખીને પ્રગટાવશો તો તેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. તેનાથી શત્રુઓનો નાશ થાય છે.
જો તમે કોઇ કામને લાંબા સમયથી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને તેમાં તમને સફળતા ન મળતી હોય તો દીવામાં કાળા મરી નાંખીને પ્રગટાવો. તેનાથી તમારા માટે સફળતાના દ્વાર ખુલી જશે.
સાંજે દીવો પ્રગટાવતી વખતે તમે તેલમાં 1 રૂપિયાનો સિક્કો પણ નાંખી શકો છો. માન્યતા છે કે તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપાયથી નકારાત્મકતા દૂર થાય છે.
દીવામાં 1 રૂપિયાનો સિક્કો નાંખીને પ્રગટાવવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે. તેનાથી તમને દેવામાંથી મુક્તિ મળી શકે છે.
જો તમે દીવામાં કાળા તલ નાંખીને પ્રગટાવો તો તેનાથી કુંડળીમાં શનિના ખરાબ પ્રભાવને ઓછો કરી શકાય છે. તેનાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
સાંજે દીવો પ્રગટાવતી વખતે તેલમાં આ વસ્તુઓ નાંખવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
MORE
NEWS...
6 શુભ સંયોગોમાં પીએમ મોદી કરશે શપથ ગ્રહણ, જાણો કેમ છે આ દિવસ ખૂબ જ ખાસ
Shani Vakri: 22 દિવસ બાદ શનિ થશે વક્રી, 5 મહિના સુધી આ રાશિઓને જલ્સો
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.