પાકિસ્તાન-ભારત સીમા પર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે એક ધાર્મિક ગલિયારો બનાવવા પર વિચાર થઈ રહ્યો છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના પર્યટન મંત્રી ઝુલ્ફિકાર અલી શાહે ક્ષેત્રના હિન્દુ અને જૈન શ્રદ્ધાળુઓ માટે સીમા પર અનેક ધાર્મિક કોરિડોર બનાવવાની વાત થઈ રહી છે.
શાહ અનુસાર, આ ધાર્મિક કોરિડોર ઉમરકોટ અને નગરપારકરમાં બની શકે છે.
જોકે અત્યાર સુધી નક્કી નથી થયું. આ વિસ્તારમાં હિન્દુઓની મોટી વસ્તી રહે છે.
MORE
NEWS...
શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ
પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા
ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા
પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઉમરકોટમાં લગભગ 2000 વર્ષ જૂના શિવ મંદિર છે, જે હિન્દુઓના પ્રાચીન મંદિરોમાંથી એક છે.
શાહ અનુસાર, આ શિવ મંદિરને સિંધના સૌથી પ્રાચીન હિન્દુ મંદિર માનવામાં આવે છે.
મંદિરનું નિર્માણ ત્યાંના હિન્દુ શ્રદ્ધાળુઓની સુવિધા અને તેમની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યુ હતું.
ઉમરકોટનું આ મંદિર ત્યાંના હિન્દુઓ માટે સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે.
પાકિસ્તાનમાં તે સિવાય ઘણાં હિન્દુ મંદિર છે. ખૈબર પખ્તૂનખ્વામાં પરમ હંસજી મહારાજ સમાધિ, આ સિવાય બલૂચિસ્તાનમાં લાસબેલા જિલ્લામાં હિંગળાજ માતાનું મંદિર સ્થિત છે.
પંજાબના ચકવાલ જિલ્લામાં કટાસ રાજ પરિસર અને મુલ્તાન જિલ્લામાં પ્રહ્લાદ ભગત મંદિર પણ બન્યું છે.
પાકિસ્તાનમાં ઘણાં જૈન ધાર્મક સ્થળ પણ હાજર છે.
MORE
NEWS...
શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ
પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા
ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.