ઘરના મુખ્ય દ્વાર પર બાંધો તુલસીના મૂળ, થશે ચમત્કાર

તુલસીના છોડને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. 

તુલસીના છોડને ઘરમાં રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર બાંધવાના અનેક લાભ છે.

વાસ્તુ અનુસાર તુલસીના છોડના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર જરૂર લટકાવવા જોઇએ.

તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના મૂળ બાંધવાથી ઘરમાં ધન-સંપત્તિની ક્યારેય કમી નથી રહેતી.

એક લાલ કપડામાં થોડા ચોખા અને તુલસીના મૂળ મૂકીને તે કપડાની ગાંઠ બાંધી લો.

હવે આ કપડાને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો.

માન્યતા છે કે ઘરમાં તુલસીના મૂળ બાંધવાથી મા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી