ITR ભરવાનું ચૂક્યા તો આ 5 નુકસાન થશે

 ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની ડેડલાઈન ખત્મ થવામાં હવે બસ 1 દિવસનો સમય બચ્યો છે. 31 જુલાઈ સુધી દરેક સ્થિતિમાં આઈટીઆર ન ભર્યું તો તેનાથી માત્ર નુકસાન જ નુકસાન થવાનું છે. 

સૌથી મોટું નુકસાન તો એ જ થશે કે, તમે જૂના રિજીમમાં તમારું રિટર્ન ભરી જ નહીં શકો. ડેડલાઈન ચૂકનારા લોકોને માત્ર નવા રિજીમમાં જ આઈટીઆર ભરવાની છૂટ છે. 

જો તમે 31 જુલાઈની ડેડલાઈન ચૂકી ગયા તો સૌથી પહેલા ઈનકમ ટેક્સની ધારા 234F હેઠળ લેટ ફી ચૂકવવી પડશે, ત્યારે જ તમે ITR ભરી શકશો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જો તમે ડેડલાઈન બાદ આઈટીઆર ભરો છો, તો જેટલો ટેક્સ તમારે ભરવો પડશે, તેના પર દર મહિને 1 ટકા વ્યાજ વસૂલવામાં આવશે.

ડેડલાઈન ચૂકનારા ટેક્સપેયર્સને પોતાનો બિઝનેસ કે કોઈ અન્ય કેપિટલ ગેઈનના નુકસાન પર મળનારું એડજસ્ટમેન્ટ પણ નહીં મળે. 

જો તમારું કોઈપણ પ્રકારનું રિફંડ બને છે, તો ડેડલાઈન બાદ રિટર્ન ભરવા પર આ રિટર્ન પર મળનારું વ્યાજ પણ જપ્ત કરી લેવામાં આવશે. આ ડેડલાઈનની અંદર રિટર્ન ભરનારા લોકોને રિફંડ પર વ્યાજ પણ મળશે.

ભારતમાં ગત વર્ષે લગભગ 8 કરોડ ITR ભરવામાં આવ્યા હતા. આ વર્ષે 29 જુલાઈની બપોર સુધી 5.43 કરોડ રિટર્ન દાખલ થઈ ચૂક્યા હતા. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.