બ્રોકરેજે વોડાફોન આઈડિયાના શેરને વેચવાની સલાહ આપી છે અને તેના માટે માત્ર 2.5 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ વોડાફોન આઈડિયાના શેરોમાં ગુરુવારના બંધ ભાવથી લગભગ 83 ટકા ઘટાડાનો અંદાજ દર્શાવે છે.
બ્રોકરેજે તેમના રિપોર્ટમાં કહ્યું કે, કંપનીને ફ્રી કેશ ફ્લોના સ્તર પર બ્કે ઈવનને મેળવવા અને માર્કેટ શેર હાંસિલ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોલ્ડમેન સેક્સના એનાલિસ્ટ્સે કહ્યું કે, વોડાફોન આઈડિયા માટે શક્યતાઓ ઘણી નિરાશાજનક દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે, કંપનીના માર્કેટ શેરમાં આગામી 3-4 વર્ષો દરમિયાન લગભગ 3 ટકા ઘટાડો આવવાની શક્યતાઓ છે.
બ્રોકરેજે ભારતી એરટેલના શેર પર ખરીદીની સલાહ આપતા 1700 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે ઈન્ડસ ટાવર્સના શેરને 350 રૂપિયાના ટાર્ગેટની સાથે વેચવાની સલાહ આપી છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો