બૃહસ્પતિની ઊલટી ચાલ ખોલશે આ રાશિના ભાગ્યના દ્વાર

રાશિ પરિવર્તન જ્યોતિષશાસ્ત્રમાં એક સામાન્ય પ્રક્રિયા છે જેને ગોચર કહેવાય છે.

ગુરુદેવ બૃહસ્પતિએ 22 એપ્રિલ 2023ના રોજ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જે તેમની પોતાની રાશિ કહેવાય છે.

સપ્ટેમ્બર મહિનામાં ગુરુ ગ્રહ વક્રી થવા જઈ રહ્યા છે. જેની સકારાત્મક અસર 3 રાશિના લોકો પર જોવા મળશે.

સપ્ટેમ્બર મહિનામાં ગુરુની ઊલટી ચાલનો આરંભ થશે જે તમામ રાશિઓ માટે સુખ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

આ કઈ ત્રણ રાશિ છે તે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે.

કર્ક: વ્યવસાય અને કારકિર્દીમાં તમને પ્રગતિ મળશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સાથે પગારમાં વધારો થવાની સંભાવના છે.

સામાજિક સન્માનમાં વધારો થશે. અટકેલા પૈસા મળવાની સંભાવના છે, આર્થિક સ્થિતિ મજબૂત થશે. બેરોજગારને સારી નોકરી મળી શકે છે.

મેષ: ધન મળી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. કરિયર અને બિઝનેસમાં ફાયદો થશે.

જૂના અટકેલા પૈસા મળી શકે છે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારમાં તમે કોઈ મોટો સોદો પૂરો કરી શકો છો, ધાર્મિક પ્રસંગોમાં રસ રહેશે.

મિથુન: અચાનક ધનલાભ થશે. આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મળશે.

કોઈ પણ લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. વિવાહિત જીવન સુંદર રહેશે, પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નવી પ્રોપર્ટી ખરીદવાની તકો બની રહી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)