મગફળીના પાકનાં રક્ષણ માટે ખેડૂતોનો દેશી જુગાડ!
અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ છે.
હાલ, મગફળીનાં ડોડવા બેસી રહ્યા છે, મગફળીમાં ફૂલ આવી ગયાં છે.
પરંતુ, જંગલી ભૂંડના ત્રાસના કારણે આ પાકને નુકસાન થાય છે.
આવી સ્થિતીમાં પાકનાં રક્ષણ માટે ખેડૂતો જુદા-જુદા પ્રયોગો કરતા હોય છે.
સાવરકુંડલાનાં છાપરે ગામનાં ખેડૂતો ખેતરમાં રંગીન એલઇડી લાઈટ અને ઝીરોનમા રંગીને લેમ્પ લગાવી દીધા છે.
પ્રકાશના કારણે જંગલી ભૂંડ સહિતનાં વન્ય પ્રાણીઓ અહીં આવતા નથી અને પાકનું રક્ષણ થઈ રહ્યું છે.
જો તમે પણ આ રીતે ભૂંડના ત્રાસથી કંટાળ્યા છો તો અપનાવો આ અનોખો જુગાડ.
આ જુગાડ અપનાવ્યા બાદ તેમના ખેતરમાંથી જંગલી ભૂંડનો ત્રાસ ખતમ થઈ ગયો છે.
તેથી, હવે પાકને નુકસાન થતું પણ અટક્યું છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...