અમદાવાદની નજીક આવેલી છે આ 500 વર્ષ જૂની વાવ
ગાંધીનગરના જિલ્લાના માણસા તાલુકો ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
માણસામાં લગભગ 500 વર્ષ જૂની વાવ આવેલી છે.
આ વાવનું નિર્માણ 1526માં કરવામાં આવી હતી.
આ વાવને લોકો 'વાવ દરવાજા' તરીકે ઓળખે છે.
આ વાવમાં એક પ્રાચીન શિલાલેખ આવેલો છે. આ શિલાલેખ પર 28 પંક્તિઓ કંડારાયેલી છે.
અહીંના ગવાક્ષમાં ભૈરવદાદાની અને અંબાજી માતાની દેરી આવેલી છે.
આ વાવની મધ્યમાં માતાજીનું મંદિર બાંધવામાં આવ્યું છે.
આ વાવમાં અંદાજિત 102 જેટલાં પગથિયાં આવેલા છે.
આ વાવની અંદર કોતરવામાં આવેલી એક તકતી પર વાઘેલા વંશની કુલ 9 પેઢી વિશેની માહિતી લખેલી છે.
આ વાવનું બાંધકામ વિક્રમ સંવત 1582માં માગશર સુદ બીજના રોજ કરવામાં આવી આવ્યું હતું.
આજે આ વાવને પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવેલી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...