અજગરને ફ્રેક્ચર

પોરબંદરના આદિત્યાણા ગામે ઇજાગ્રસ્ત અજગરનુ રેસ્કયુ કરવામા આવ્યુ હતું.

આદિત્યાણા ગામના વાડી વિસ્તારમાં અત્યંત ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં અજગર મળી આવ્યો હતો.

પોરબંદરના સેવાભાવી ડૉ. આકાશભાઇ બોખીરીયાએ અજગરનું સફળતાપૂર્વક રેસક્યૂ કર્યું હતુ.

અજગરની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી તેમણે કુશળ વેટરનરી ડૉક્ટર એવા ડૉ. હઠીસિંહ સિસોદિયાનો સંપર્ક સાંધ્યો હતો.

અજગરને ડૉ. હઠીસિંહની લીમડાચોક પાટા પાસે આવેલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ડૉ. હઠીસિંહની હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અજગરનો એકસ-રે કરવામાં આવ્યો હતો. 

એક્સ-રેની અંદર અજગરના મણકા અને 6 પાંસળીઓમાં ફ્રેકચર થયું હોવાનું માલૂમ પડ્યું હતું.

ડૉ. હઠીસિંહ દ્વારા ખૂબ ચીવટપૂર્વક અજગરની સારવાર કરવામાં આવી હતી.

તબીબી સારવાર બાદ અજગરને નવજીવન મળ્યું હતું.

પ્રકૃતિપ્રેમીઓએ ડૉ. હઠીસિંહની કામગીરીની સરાહના કરી તેઓને  અભિનંદન પાઠવ્યા હતા.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો