હનુમાનજીના આ નામ જપવાથી થઈ જશે બેડો પાર!

ભગવાન હનુમાનનની પૂજા-ઉપાસનાથી ન ફક્ત લોક પરંતુ, પરલોક પણ સુધરી જાય છે. 

જો હનુમાનજીના આ 12 નામનો જાપ કરવામાં આવે તો ભલભલા કામ પાર પડી જાય છે.

હનુમાનજીની પ્રતિમા સામે દીવો કરીને તેમના 12 નામનો જાપ કરો.

હનુમાનજીના 12 નામ હનુમાન, અંજનીસુત, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ટ, ફાલ્ગુનસખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતા શોક, વિનાશન, લક્ષ્મણ પ્રાણદાતા અને દશગ્રીવ દર્પહા છે. 

જો દરરોજ આ નામનો જાપ કરવામાં આવે તો તમામ મનોકામના પૂર્ણ થાય છે. 

જો બપોરે આ નામનો જાપ કરવામાં આવે તો ઘરમાં ધનની વર્ષા થાય છે. 

સાંજે આ નામનો જાપ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. 

રાત્રે આ નામનો જાપ કરવાથી તમારા વિરોધીઓ સામે તમે મજબૂત બનો છો.

હનુમાનજીના આ નામનો જાપ કરવાથી પવનપુત્ર સાક્ષાત તમારી રક્ષા કરશે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો