રક્ષાબંધન પર આ રાશિના લોકોના ઘરે થશે ધનવર્ષા!

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો પ્રતિક છે. 

દર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. 

આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે આ તહેવાર ઉજવવામાં આવશે.

જ્યોતિષીના મતે આ દિવસે ધનિષ્ઠ નક્ષત્ર અને સુકર્મ યોગ રચાઈ રહ્યો છે. 

આવી સ્થિતીમાં આ ત્રણ રાશિના જાતકો માટે રક્ષાબંધન લાભદાયક રહેશે. 

કાશીના જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું કે, આ રક્ષાબંધન મેષ, મીન અને મકર રાશિ માટે શુભ સમય લાવશે.

મેષ રાશિના લોકો માટે આ રક્ષાબંધન ખૂબ જ શુભ છે. 

મીન રાશિના જાતકોને આ રક્ષાબંધને કોઈક સારા સમાચાર મળશે અથવા જૂના અટકેલા કામ વેગ લેશે.

મકર રાશિના જાતકોને આ રક્ષાબંધને વેપારમાં લાભના સમાચાર મળશે.