હિન્દુ ધર્મમાં કિન્નરોનું ખુબ મહત્વ માનવામાં આવે છે. એમની દુઆઓમાં ઘણી અસર હોય છે.
એમને દાન આપવામાં આવે છે જેનાથી એમના આશીર્વાદ મળી શકે.
એવામાં જીવનમાં પ્રગતિ અને ધન લાભ માટે તમે કિન્નરો સાથે જોડાયેલા કેટલાક ઉપાય અજમાવી શકો છો.
જો તમારા ઘરમાં નવજાત શિશુ છે અને જો તમારી આસપાસ કિન્નરો આવે છે, તો બુધવારે અથવા બુધના કોઈપણ નક્ષત્રના દિવસે તમારા બાળકને તેમના ખોળામાં આપો અને બાળકને આશીર્વાદ આપવા વિનંતી કરો.
જીવનમાં પ્રગતિ માટે તમારે બુધવારે કોઈ કિન્નરને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તેનાથી તમને સફળતા મળશે.
જો કુંડળીમાં બુધ નબળો હોય તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, બુધવારે કોઈએ કેટલીક વસ્તુઓ ખાસ કરીને કોઈ કિન્નરને દાન કરવી જોઈએ.
બુધવારે કોઈ કિન્નરને મગ અથવા ચોખાનું દાન કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે. આનાથી અનાજનો સ્ટોક વધે છે.
એવું માનવામાં આવે છે કે કિન્નરોને ક્યારેય સ્ટીલ કે લોખંડના વાસણો કે વસ્તુઓ ન આપવી જોઈએ. તેમજ તેલનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. કિન્નરોનું ક્યારેય અપમાન ન કરો.