શું ડાયાબિટીસમાં ગોળ પણ બની શકે છે ખતરનાક?

શું ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડને બદલે ગોળ ખાવું શરીર માટે સારું છે કે ખરાબ?

ગોળ એ શેરડીના રસનામાંથી બનાવેલ કુદરતી મીઠાશ છે ઘણા લોકો બ્રાઉન સુગરના તંદુરસ્ત વિકલ્પ તરીકે ગોળનો ઉપયોગ કરે છે.

તે સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે ગોળમાં શેરડીના રસમાંથી મળતા તમામ ખનિજો અને વિટામિન્સ હોય છે. ગોળ ઔષધીય ગુણધર્મ  પણ ધરાવે છે. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.

ગોળ પાચનમાં સુધારો કરે છે અને સ્ટ્રેસ રિલીફ કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલું સલામત છે?

એવા કોઈ તબીબી પુરાવા નથી કે ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ ઓછી માત્રામાં ગોળનું સેવન કરી શકે છે.

ઘણા ડોકટરો કહે છે કે ગોળમાં લગભગ 65 થી 85 ટકા સુક્રોઝ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેને ખાંડની જેમ સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

ગોળમાં ખૂબ જ ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. તેથી ગોળનું સેવન કરવાથી તરત જ બ્લડ સુગર લેવલ વધી જાય છે અને હૃદય રોગ, અંગ નિષ્ફળતા વગેરે જેવી મોટી શારીરિક સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.

ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને આ વિશે જાગૃત રહેવું જોઈએ. જો જરૂરી હોય તો ડૉક્ટરની સલાહ લો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)