તૂટી પડો..! માત્ર 20 રુપિયામાં અનલિમિટેડ ભોજન

ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે 'માં અન્નપૂર્ણા ભોજનાલય' આવેલું છે.

અહીં રોજ આશરે 1 હજાર ભૂખ્યા લોકોનું પેટ ઠારવામાં આવે છે.

અહીં સવારના 11થી બપોરના 2 વાગ્યા સુધી વીસ રુપિયામાં ભોજન આપવામાં આવે છે. 

આ ભોજનાલયમાં લોકોને માત્ર 20 રુપિયામાં અનલિમિટેડ ભોજન અપાય છે.

અહીં તમે માત્ર 5 રુપિયામાં શાહી ખીચડીની પણ મજા માણી શકો છો.

આ સાથે અહીં પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે. 

તહેવારના દિવસોમાં અહીં ફરસાણ અને મીઠાઈ પણ રાખવામાં આવે છે. 

છેલ્લા દોઢ વર્ષથી લોકો આ જગ્યાએથી ભોજનનો લાભ લઈ રહ્યા છે. 

સાંજે પણ અહીં કુલ 600 જેટલા લોકો માટે શાહી ખીચડી બનાવવામાં આવે છે.

અહીંની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ભોજન પીરસવાની સેવા આપે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો