જન્માષ્ટમી: 30 વર્ષ બાદ રચાશે આ દુર્લભ સંયોગ

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દેશના ખૂણે-ખૂણામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

દેવઘરના પ્રસિદ્ધ જ્યોતિષી પંડિત નંદ કિશોર મુદ્ગલે જણાવ્યું કે, જન્માષ્ટમી પર 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ રચાઇ રહ્યો છે. 

આ વખતે બુધવાર, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિમાં જન્માષ્ટમી ઉજવવામાં આવશે. 

આ સંયોગ 30 વર્ષ બાદ રચાઇ રહ્યો છે, આ સંયોગમાં ભગવાન શ્રીકૃષ્ણ અવતરિત થયા હતાં. 

આ સંયોગના કારણે વૃષભ, કર્ક, સિંહ અને કુંભ રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહેશે. 

વૃષભ રાશિના જાતકોને મહેનતથી કરેલા તમામ કાર્યોમાં સફળતા મળશે, સાથે જ દાંપત્ય જીવન પણ સુખમય રહેશે. 

કર્ક રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થશે.

જો તમે પ્રેમ સંબંધોમાં છો, તો લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે. 

સિંહ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં સફળતા મળશે. 

પરિવારજનોની મદદથી કોઇ મોટુ કામ પૂર્ણ થઇ શકે છે. 

કુંભ રાશિના જાતકોને મુશ્કેલીઓથી છૂટકારો મળશે. 

સાથે જ ભૂમિ ભવન વગેરે ખરીદવા માટે અનુકૂળ સમય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)