લાલ મરચાના આ અચૂક ટોટકા, ધંધામાં લાવશે બરકત

લાલ મરચા ભોજનનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ તેનાથી તમારી કિસ્મત પણ ચમકી શકે છે.

લાલ મરચાના કેટલાંક ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો વરસાદ થાય છે.

શુભ કામમાં અડચણ આવે તો...

જો તમારા કોઇપણ શુભ કામ વારંવાર ખરાબ થઇ જતું હોય તો ઘરેથી નીકળતા પહેલા 5 સૂકા લાલ મરચા ઉંબરા પર મૂકીને બહાર નીકળો.

પાણીમાં નાંખો લાલ મરચા

21 લાલ મરચાના બીજ પાણીમાં નાંખીને રાતે સૂતી વખતે માથા નજીક મૂકો. સવારે 7 વાર આ પાણીને માથા પરથી ઉતારીને ફેંકી દો.

હેલ્થ માટે

આ ઉપાયથી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. તેનાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે .

આ રીતે મૂકો લાલ મરચા

માટીના 3 દીવામાં પીળી રાઇ, તલ, આખુ મીઠુ, આખા ધાણા, દરેક દીવામાં લાલ મરચુ મૂકીને ધંધાના સ્થાન પર મૂકો.

વેપાર માટે

આ ઉપાય કરવાથી તમને બિઝનેસમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને બિઝનેસ ધમધોકાર ચાલશે.

શનિવારના ઉપાય

તમે શનિવાર કે મંગળવારે રાતે શત્રુના નામે સૂકા લાલ મરચાને 7 વાર માથા પરથી ઉતારીને જમીનમાં દાટી દો.

શત્રુ બાધા માટે

આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કોઇ શત્રુ હોય તો તેનો નાશ થશે.

જો તમારા જીવનમાં આવી અડચણો આવતી હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે આ અચૂક ઉપાય જરૂર કરો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)