જો તમે આ દરગાહ નથી જોઈ, તો તમે અમદાવાદ નથી જોયું!

અમદાવાદમાં એક સમયે મુસ્લિમ શાસકોનું શાસન હતું. 

જેના કારણે અનેક ઈસ્લામિક સ્થાપત્યનું નિર્માણ અમદાવાદમાં થયેલું છે. 

ઉસ્માનપુરા ખાતે ઇસ્લામિક સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ એક વર્ષો જૂની દરગાહ આવેલી છે.

ઉસ્માનપુરા ખાતે આવેલી આ દરગાહ આશરે 600 વર્ષ જૂની છે.

આ દરગાહ 'પીર સૈયદ ઉસ્માન મશહદી સમ્મે બુરહાની કી દરગાહ શરીફ' તરીકે પણ જાણીતી છે. 

સૈયદ ઉસ્માન મીરા દાતારના મામા હતા, આ કારણે તેઓ મામૂ સાહેબ તરીકે પણ ઓળખાતા હતા.

ઉસ્માનપુરા એરિયાનું નામ પીર સૈયદ ઉસ્માન પરથી રાખવામાં આવ્યું હતું.

સૈયદ ઉસ્માનનું નિધન 1458માં થયું હતું, જેથી તેમની યાદમાં મહમૂદ બેગડા દ્વારા આ દરગાહ બનાવવામાં આવી હતી.

આ દરગાહની એક ખાસિયત છે કે તેનો ગુંબજ 8 થાંભલાને બદલે 12 થાંભલા પર ઊભો છે.

આ દરગાહનું બાંધકામ ઇન્ડો-ઇસ્લામિક શૈલીમાં કરવામાં આવ્યું હતું. 

પીર સૈયદ ઉસ્માનની દરગાહમાં લોકો લોકોની તકલીફ દૂર થતી હોવાની માન્યતા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)