ટેસડો પડી જાય એવો તીખો તમતમતો વઘારેલો રોટલો

ખાણી પીણીની વાત આવે એટલે જામનગરમાં સૌથી હેલાં ઘૂઘરા યાદ આવે. 

પરંતુ, હાલ જામનગરમાં વઘારેલા રોટલાની બોલબાલા છે. 

પાર્થરાજ સિંહ છેલ્લા 35 વર્ષથી લોકોને આ વઘારેલો રોટલો વેચે છે.

આ વઘારેલા રોટલાની વિશેષતા એ છે કે, તેઓ છાશ કે દહીંમાં તેને નથી બનાવતા.

આ રોટલામાં તેઓ ઘરે બનાવેલો એક ખાસ મસાલો ઉમેરે છે.

જેનો સ્વાદ 35 વર્ષથી લોકોના દાઢે વળગ્યો છે. 

જામનગરમાં ગ્રીન સીટી પાસે  ભાનુ પેટ્રોલ પંપ નજીક આ વઘારેલો રોટલો મળે છે. 

પાર્થરાજે જણાવ્યું કે, તેમની આ વાનગીમાં કોઈ હાનિકારક વસ્તુ ઉમેરવામાં નથી આવતી.

તેથી આ વઘારેલા રોટલાની ડિમાન્ડ જામનગરમાં ખૂબ જ વધી રહી છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો