ચિત્રા નક્ષત્રમાં મંગળનો પ્રવેશ આ રાશિના લોકોનું કિસ્મત ખોલશે!

વૈદિક જ્યોતિષમાં ગ્રહ નક્ષત્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મંગળ 23 સપ્ટેમ્બરે એટલે આજે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

જ્યોતિષ પંડિત કલ્કી રામ મુજબ, આ ગોચરની તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસરો પડશે

મેષ રાશિના જાતકોએ આત્મસંયમ જાળવવો પડશે.

વૃષભ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસમાં કમી આવશે.

કારોબારમાં ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિના જાતકોના મનમાં ઉતાર-ચઢાવ રહેશે.

જુના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે, કારોબાર માટે પિતા પાસે ધન મળી શકે છે.

સિંહ રાશિના જાતકોનું કલા અને સંગીત ક્ષેત્રમાં વલણ વધશે.

કન્યા રાશિના જાતકોને કારોબારમાં વૃદ્ધિ થશે અને સુખદ પરિણામ મળશે.

તુલા રાશિના જાતકોના ખર્ચમાં વૃદ્ધિ થશે, આવકમાં કમી આવશે, કારોબારમાં પરિવર્તન થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)