લોકરમાં રાખેલા રૂપિયા કીડી કોતરી જાય, તો બેંક વળતર આપશે?

જો તમે વિચારી રહ્યા છો કે બેંક લોકરમાં પૈસા જમા કરાવવાથી તમને આરામ મળે છે, તો આ એક ગેરસમજ છે.

મુરાદાબાદ જિલ્લામાં બનેલી એક ઘટના તમારી પણ આંખો ખોલી નાખશે. અહીં એક મહિલાએ પોતાની દીકરીના લગ્ન માટે જ્વેલરી અને 18 લાખ રૂપિયા બેંક લોકરમાં જમા કરાવ્યા હતા.

એક વર્ષ પછી, જ્યારે તે રૂપિયા લેવા ગઈ ત્યારે તેને જાણવા મળ્યું કે દાગીના સુરક્ષિત છે, પરંતુ પૈસાના બંડલ ઉધઈખાઈ ગઈ છે.

MORE  NEWS...

શેર માર્કેટનો ‘બાદશાહ’ છે આ શેર, ડૂબ્યો તો આખું માર્કેટ લઈ ડૂબશે

આ બેંકના ખાતાધારકોને માથે મુસીબતોનો પહાડ, RBIએ છિનવી લીધું લાયસન્સ

ફકીર જેવા દેખાતા આ દાદા પાસે 101 કરોડ રૂપિયાના શેર; લોખંડ જેવો મજબૂત છે પોર્ટફોલિયો

હવે સવાલ એ ઊભો થાય છે કે શું બેંક આની ભરપાઈ કરશે.

નિયમોને ટાંકીને બેંકે પૈસા પરત કરવાનો કે વળતર આપવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં બેંક ગ્રાહકે શું કરવું જોઈએ?

રિઝર્વ બેંકની નવી માર્ગદર્શિકામાં બેંક લોકરમાં ખોટ સાથે સંબંધિત નિયમોને સાફ કરી દેવામાં આવ્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે જો લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓને નુકસાન થાય અથવા ચોરાઈ જાય તો બેંક ગ્રાહકને લોકર માટે વસૂલવામાં આવતી વાર્ષિક ફીના 100 ગણી વળતર આપશે.

ઉદાહરણ તરીકે, SBI મેટ્રો શહેરોમાંબેંક લોકર માટે મહિને રૂ. 3000  એટલે કે કે એક વર્ષમાં 36 હજાર રૂપિયાપ્લસ GST ચાર્જ કરે છે. આ લોકરમાં રાખેલો સામાન ખરાબ થઈ જાય તો બેંક 100 ગણી ભરપાઈ કરશે એટલે કે 36 લાખ રૂપિયા.

MORE  NEWS...

આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા

EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ

એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.