શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. શરીરના તૂટેલા કોષોના રિપેરિંગ માટે પ્રોટીન એક આવશ્યક પોષક તત્વ છે. એક મુઠ્ઠી શેકેલા ચણા સવારે એક ગ્લાસ દૂધ સાથે ખાવાથી અનેક પ્રકારની નબળાઈ દૂર થાય છે.
શેકેલા ચણા ફાઈબરનો ભરપૂર સ્ત્રોત છે અને તે પેટની સમસ્યાઓને દૂર કરે છે. તે પેટમાં ગેસ અને અપચોની સમસ્યામાં પણ રાહત આપે છે.