આ 3 બેંકો પાસે કર્ણનું કવચ, RBIએ કહ્યું- ક્યારેય નહીં ડૂબે ખાતાધારકોના રૂપિયા
આપણાંમાથી મોટાભાગના લોકો પોતાની મહેનતની કમાણી બેંકોમાં જ રાખવાનું પસંદ કરે છે. આ સેવિંગ એકાઉન્ટ કે પછી એફડીના રૂપમાં રાખવામાં આવેલી રકમ હોય છે.
પરંતુ જો બેંક ડૂબી જાય તો શું થશે. RBIએ બેંકો માટે તેમના ગ્રાહકોના નાણાંનો વીમો લેવો ફરજિયાત બનાવ્યો છે. પરંતુ તે પણ મહત્તમ 5 લાખ રૂપિયા સુધી જ હોય છે.
એટલા માટે જરૂરી છે કે, રૂપિયા તે બેંકમાં જ રાખવામાં આવે જ્યાં સુરક્ષિત હોય. હવે તે કેવી રીતે ખબર પડશે કે, કઈ બેંક સુરક્ષિત છે. તે પણ જાણી શકાય છે.
ભારતની 3 બેંકોને સૌથી સુરક્ષિત બેંક માનવામાં આવી છે. આ બેંક RBIની ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટેન્ટ બેંકની અંતર્ગત આવે છે.
RBI દ્વારા આપવામાં આવેલી સુરક્ષિત બેંકોની યાદીમાં એક સરકારી અને 2 ખાનગી બેંક છે. આમાં પહેલી બેંક છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા. બીજી બેંક HDFC બેંક અને ત્રીજી ICICI બેંક છે.
રિઝર્વ બેંક તરફથી આ યાદી જાહેર કરવામાં આવી છે. 2017માં પહેલીવાર આ યાદીમાં પ્રાઈવેટ ક્ષેત્રની HDFC બેંકને સામેલ કરવામાં આવી હતી.
આપણાંમાથી મોટાભાગના લોકો પોતાની મહેનતની કમાણી બેંકોમાં જ રાખવાનું પસંદ કરે છે. આ સેવિંગ એકાઉન્ટ કે પછી એફડીના રૂપમાં રાખવામાં આવેલી રકમ હોય છે.
જો આ બેંક ડૂબવાના આરે પહોંચે તો પણ રિઝર્વ બેંક તેમજ દેશની સરકાર તરફથી બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. આ એટલી મોટી બેંકો છો, જેના ડૂબના પર પૂરા દેશની અર્થવ્યવસ્થા વેર વિખેર થઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.