લગ્નના 4 મહિના પછી આરતી સિંહ તેના પતિથી છૂટાછેડા લઈ રહી છે?

ગોવિંદાની ભાણી આરતી સિંહે આ વર્ષે 25 એપ્રિલના રોજ બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા.

ધામધૂમથી થયેલા આ લગ્ને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. લગ્ન બાદ એક્ટ્રેસ બે વાર હનીમૂન પર જઈને આવી છે. 

પરંતુ આ બધાની વચ્ચે કેટલીક અફવાઓ ફેલાઈ હતી કે, લગ્નના માત્ર 4 મહિના બાદ આરતી તલાક લઈ રહી છે.

એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે દીપક સાથેના સંબંધો તૂટવાની અફવાઓ વિશે વાત કરી. તેણે કહ્યું કે, દીપક અને હું અમે બંને સાથે ખૂબ ખુશ છીએ.

આ વાતો માત્ર અફવા છે, બીજું કશું નથી. અમારી વચ્ચે કોઈ પરેશાની નથી, તો ઝઘડો કે ડિવોર્સની વાત કેવી રીતે આવી શકે છે.

આરતીને પૂછવામાં આવ્યું કે, લગ્ન બાદ તેમના જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે. તેના પર તેણે કહ્યું કે, આવો કોઈ ખાસ બદલાવ આવ્યો નથી

આરતીએ કહ્યું કે, દીપક એક સારા વ્યક્તિ છે અને બંને એકસાથે ખૂબ જ ખુશ છે અને તેમનું લગ્ન જીવનમાં સારું વીતી રહ્યું છે. 

આરતી-દીપકની વાત કરીએ તો તેમના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. 

આ કપલના લગ્નના ફોટોઝ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયા હતા.