દેવ દિવાળી પર કરો આ ચમત્કારી ઉપાય, થશે ભાગ્યોદય

આ વર્ષે દેવ દિવાળી 26 નવેમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવશે

દેવ દિવાળી પર રવિ, પરિધ અને શિવ યોગ બની રહ્યો છે.

દેવ દિવાળીના રોજ દિવા પ્રગટાવવાનું મુહૂર્ત સાંજે 5.08 વાગ્યાથી સાંજે 7.47 સુધી રહેશે.

આ દિવસે વારાણસીના ગંગા ઘાટો પર દિવા પ્રગટાવવામાં આવે છે.

કાશીના જ્યોતિષચાર્ય ચક્રપાણી ભટ્ટ પાસે જાણીએ દેવ દિવાળીના ઉપાય.

ઘીના દિવા પ્રગટાવવા અને એમાં 9 લવિંગ નાખો. દરિદ્રતા દૂર થશે.

નદી, સરોવરના કિનારે અથવા મંદિર પર આ દીવો પ્રગટાવો, દેવ કૃપાથી દુઃખ દૂર થશે.

ભગવાન વિષ્ણુને 11 તુલસીના પાનની માળા પહેરાવો. ધન સંપત્તિ વધશે.

ઘરમાં મુખ્ય દ્વાર પર આંબાના પાંદડાનું તોરણ લગાવો, લક્ષ્મી કૃપા પ્રાપ્ત થશે.