શું ઘરનાં તમામ લોકો ન્હાવા માટે એક જ સાબુ વાપરો છે? 

શરીરને સ્વચ્છ કરવા માટે અને તેના પર રહેલાં જંતુઓને દૂર કરવા લોકો સાબુથી સ્નાન કરે છે. 

ઘણાં લોકો દિવસમાં બે વાર સ્નાન કરે છે. 

જ્યારે અમુક લોકો દિવસમાં ફક્ત એક જ વખત સ્નાન કરે છે. 

ઘણાં લોકો ન્હાવા માટે સાબુને બદલે બોડી વૉશનો ઉપયોગ પણ કરે છે. 

ન્હાવા માટે વપરાતા સાબુમાં બે થી પાંચ પ્રકારના સુક્ષ્મજીવો હોવાનું જાણવા મળે છે.

નિષ્ણાંતોના મતે, સાબુમાં સાલ્મોનેલા ટાઈફી, કીટાણુંઓ તેમજ શિગેલા જેવા બેક્ટેરિયા રહેલાં હોય છે. 

પરંતુ, ઘણાં પ્રકારના બેક્ટેરિયા શરીરમાં પડેલાં કોઈ ઘા દ્વારા ત્વચામાં ફેલાય છે. 

જો ઘરના તમામ લોકો એક જ સાબુનો ઉપયોગ કરતાં હોય તો આ જંતુઓ ફેલાઈ શકે છે. 

આનાથી બચવા માટે સ્નાન કર્યા બાદ જ્યાં સુધી સાબુ પરથી તમામ ફીણ નીકળી ન જાય ત્યાં સુધી ધોઈને મુકવો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી