હવે અમદાવાદમાં માણો ગ્રીન પાઉંભાજી

આજકાલ ફાસ્ટ ફૂડમાં અવનવી વેરાયટી જોવા મળી રહી છે. 

તેમાં પણ પાઉંભાજી મોટાભાગના લોકોની ખૂબ પ્રિય હોય છે.

અમદાવાદમાં વસ્ત્રાપુરમાં ગ્રીન પાઉંભાજી મળે છે. 

અહીં દૂર-દૂરથી લોકો ગ્રીન પાઉંભાજીનો ટેસ્ટ માણવા આવે છે.

આ ગ્રીન પાઉંભાજી અમદાવાદી માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પાઉંભાજીનો ટેસ્ટ પાલક ભાજી જેવો આવે છે. 

કારણકે, તેમાં પાલક, બટાકા, કોબીજ, ટામેટા, બટાકા, લસણ, આદુ અને ગ્રીન ચટણી ઉમેરવામાં આવે છે.

અહીં પાઉંભાજીની એક ડીશ 120 રુપિયામાં મળે છે. 

આ દુકાન સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો