હવે ઘર બેઠા જ મળી જશે માતા અંબાનો પ્રસાદ

હવે ઘર બેઠા જ મળી જશે માતા અંબાનો પ્રસાદ

અંબાજી મંદિરના મોહનથાળ અને ચીક્કીના પ્રસાદની ઓનલાઈન સેવાને શરુ કરાઈ છે. 

ભાવિકો હવે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ચીકી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. 

ભક્તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની સાઈટ પરથી કોઈપણ પ્રકારના અલગ ચાર્જ વગર પ્રસાદ ઓર્ડર કરી શકે છે.

અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

એક પેકેટમાં પ્રસાદના ચાર બોક્સ મૂકીને પેકિંગ કરવામાં આવે છે. 

બાદમાં શ્રદ્ધાળુનું સરનામું સ્ટીકર લગાવી સીલ પેક કરાય છે. 

ભક્તોને મોડામાં મોડા ચાર દિવસમાં પ્રસાદ ઘરે મળી જાય છે.

શ્રદ્ધાળુઓ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકે છે. 

ભક્તો કોઈપણ જાતના ડિલિવરી ચાર્જ વગર પ્રીપેઈડ ચૂકવણી કરીને ઘર બેઠા પ્રસાદ મેળવી શકે છે.