વાળમાં ખોડો અને ખંજવાળની સમસ્યાને દૂર કરશે આ નાનકડી ગોળી

વાળમાં ખોડો અને માથામાં પોપડા જેવી સમસ્યાઓ થવી સામાન્ય છે.

પૂજા-પાઠ અને આરતીમાં વપરાતુ કપૂર વધુ અસરકારક સાબિત થઈ શકે છે. તેને લગાવવાથી વાળમાં થયેલો ખોડો અને માથામાં પોપડા તો દૂર થાય જ છે.

એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ હોવાને કારણે કપૂર વાળમાં ઇલાસ્ટિન અને કોલેજનના પ્રોડક્શનને પ્રોત્સાહન આપે છે, જે વાળના ટેક્સચરને બરાબર રાખે છે. આવો જાણીએ તેનો ઉપયોગ કરવાની સાચી રીત.

MORE  NEWS...

જેને તમે ઘાસ સમજીને ફેંકી દો છો એ છે પોષક તત્વોનો બાપ

દહીંમાં આ સફેદ વસ્તુ નાંખીને ખાવાની ભૂલ ન કરતાં

નારિયેળનું તેલ ગરમ કરી તેમાં થોડું કપૂરનો પાવડર ઓગાળી લો. આ પછી, તેને તમારા સ્કેલ્પ પર લગાવો. તેને કલાક માટે રહેવા દો અને પછી તેને શેમ્પૂથી ધોઈ નાખો. આમ કરવાથી ખંજવાળ પણ શાંત થઈ જશે અને ફંગસનું કારણ બનતો ડેન્ડ્રફ પણ દૂર થશે.

કપૂર અને લીમડાના પાનને પીસી લો. હવે તેને તમારા વાળ અને સ્કેલ્પ પર લગાવો. તેને લગભગ 30-40 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને સારી રીતે ધોઈ લો. આમ કરવાથી વાળની સ્કેલ્પ સાફ થઈ જશે. તેમજ ખોડો અને ખંજવાળની સમસ્યા પણ દૂર થશે.

કપૂર, અરીઠા અને દહીંનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અરીઠા વાળને હેલ્ધી રાખે છે અને કપૂર એન્ટીબેક્ટેરિયલ બનીને સ્કેલ્પની સમસ્યામાં રાહત અપાવે છે.

આ સિવાય દહીં લગાવવાથી ખંજવાળથી રાહત મળે છે. તેને લગાવવા માટે અરીઠાને ઉકાળીને તેમાં દહીં અને કપૂર પીસીને મિક્સ કરી લો. તેને લગાવ્યાના લગભગ 30 મિનિટ પછી શેમ્પૂ કરી શકાય છે

MORE  NEWS...

જો ફાંદ ઓછી કરવી હોય તો, ભૂલથી પણ 4 વસ્તું ખાતા નહીં

આ સાત ફૂડ જેને તમે અનહેલ્ધી સમજો છો તે છે એકદમ healthy