કપાળના પિમ્પલ્સથી કંટાળી ગયાં છો? 

કપાળ પર વારંવાર પિમ્પલ્સ થવાથી ચહેરાની સુંદરતા બગડી જાય છે. પરંતુ, આ સમસ્યા મહિલાઓની સાથે પુરુષોમાં પણ જોવા મળે છે. 

ઓઇલી સ્કીન ધરાવતા લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. 

આ સિવાય આ સમસ્યા એવા લોકોમાં પણ જોવા મળે છે જેમના ચહેરા પર વધુ પડતી ડેડ સ્કિન હોય છે. 

જો ગમે તેટલા પ્રયત્નો છતાં પણ તમે કપાળના ખીલથી રાહત નથી મેળવી શકતા તો તમારે ઘરેલું ઉપાય અજમાવા જોઈએ.

કપાળ પરના પિમ્પલ્સથી છૂટકારો મેળવવા માટે તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો.

એપલ સાઇડર વિનેગર તેની અલ્કાઇન સામગ્રીને કારણે પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરે છે.

એલોવેરા ખીલની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. 

ખીલને દૂર કરવા માટે તમે તરબૂચનો ઉપયોગ કરી શકો છો. રોજ રાત્રે તરબૂચના ટુકડાને ચહેરા પર મસાજ કરવાથી ખીલથી છુટકારો મળે છે.

આઇસ ક્યુબ્સને કપડામાં લપેટીને કપાળ પર થોડા દિવસ સુધી લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)