Lucky plants: ધન પ્રાપ્તિ માટે નવા વર્ષ 2024માં ઘરમાં લગાવો આ છોડ

વર્ષ 2024ના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને લોકો પણ નવા વર્ષને વધાવવા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

નવા વર્ષ 2024માં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઇ રહે તે માટે ઘરમાં વાસ્તુ અનુસાર અમુક વસ્તુઓ બદલવી ખૂબ જ શુભ સાબિત થશે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે વર્ષ 2024માં વાસ્તુ નિયમોનુ પાલન કરે છે તો તમારું આખુ વર્ષ ખુશીઓથી ભરેલુ રહેશે.

તો ચાલો જાણીએ કેટલાક છોડ વિશે, જેને ઘરમાં લગાવવાથી વાસ્તુ મુજબ આર્થિક તંગીની સમસ્યા દૂર થશે.

તુલસીનો છોડ

વાસ્તુશાસ્ત્ર મુજબ, તુલસીના છોડને ઘરમાં લગાવશો, તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ પૈસા કમાવવાના નવા રસ્તા પણ ખુલશે.

તુલસીનો છોડ

તુલસીનો છોડ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તેમજ રોજ તેની પૂજા કરવી જોઇએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે.

મની પ્લાન્ટ

વાસ્તુશાસ્ત્ર મુજબ નવા વર્ષના શુભ અવસર પર જો તમે ઘરમાં મની પ્લાન્ટ લગાવશો તો તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા અને શુભતા આવે છે. મની પ્લાન્ટને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.

હરસિંગારનો છોડ

ઘરમાં હરસિંગારનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે આ છોડ તેમને ખૂબ પ્રિય છે. હરસિંગારથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ ખતમ થઇ જાય છે.

હરસિંગારનો છોડ

આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર હરસિંગારનો છોડ ઘરની સુખ સમૃદ્ધિને જાળવી રાખવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)