બેડરુમમાં કરો આટલો બદલાવ, જલ્દી થઈ જશે લગ્ન!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આપણાં જીવનમાં બનતી દરેક ઘટના વાસ્તુ સાથે જોડાયેલી છે. 

વાસ્તુ અનુસાર વર્તવાથી લગ્નની ન થવાની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન ન થવાની સમસ્યાઓના પણ અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે.

જેનુ પાલન કરવાથી લગ્નની સંભાવના વધતી જાય છે. લગ્નના યોગ જલદી બને છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ પરણવા લાયક છોકરી કે મોટી દીકરી હોય તો તેનો શયન કક્ષ વાયવ્ય દિશામાં રાખવો જોઈએ.

જેનાથી તેના લગ્ન યોગ વધી જાય છે. તથા પૂર્વ કે પશ્ચિમ દિશામાં રૂમ આવે તો તે પણ ફળદાયી નીવડે છે. 

જ્યારે નૈઋત્ય દિશામાં દિકરીનો રૂમ ન રાખવો જોઈએ. કારણ કે તેનાથી લગ્ન સંબંધિત અનેક સમસ્યાઓ ઊભી થાય છે. 

તેમજ ઈશાન દિશામાં પણ બેડરુમ હોવાથી દીકરીને લગ્નના પસંદગીમાં રુકાવટ લાવે છે.

યોગ્ય જીવનસાથી જલદી જ મળી જાય તેવા યોગ સર્જવા માટે છોકરીઓએ ગુરુવારનું વ્રત કરવું જોઈએ.

આ સાથે જ કેળાના ઝાડની પૂજા વિધિ – વિધાન અને યોગ્ય શાસ્ત્રોક્ત નિયમોનુસાર કરો. 

લગ્નની ઈચ્છા અને યોગ્ય પાર્ટનર મેળવવાની આશા સાથે 16 સોમવારનું વ્રત પણ રાખો અને દરરોજ શિવલિંગ પર જળ ચઢાવો. 

આ સાથે તમારી ક્ષમતા અનુસાર દર સોમવારે ચણાની દાળ અને સવા લિટર કાચું દૂધ દાન કરો. 

ભગવાન શિવની કૃપાથી જલદી જ સારા લગ્ન સંબંધોનું માંગુ આવશે.

જો કોઈ છોકરાના લગ્નમાં વિઘ્ન પડતા હોય તો તેણે કોઈ બીજાના લગ્નમાં જઈને એકવાર વરરાજાના સેહરાને પોતાના માથા પર પહેરવું અથવા લગાવવું જોઈએ. 

જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે આ ઉપાયથી લગ્નનો યોગ જલદી બનવા લાગે છે.

ઝડપી લગ્ન કરવા માટે ભોજનમાં પીળા રંગના શાકભાજી, કઠોળ, અનાજનું સેવન કરવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપાય છે. 

નહાવાના પાણીમાં પણ એક ચપટી હળદરનો ઉપયોગ કરવાથી તમને જલદી ફાયદો થતો જોવા મળશે.

આ સિવાય અવિવાહિત છોકરા-છોકરીઓએ ગુરુવારે પીળા વસ્ત્રો અને શુક્રવારે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. જેની સકારાત્મક અસર ચોક્કસથી પડશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષાચાર્ય અનુસારની માન્યતા છે. NEWS18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.