કુદરતના ખોળે આવેલી લાઈબ્રેરી, અહીં પંખીઓના કલરવ વચ્ચે થાય છે વાંચન

નવસારીમાં ગણદેવી તાલુકાના દેવધા ગામમાં વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે પરબ નામની સંસ્થા કામ કરી રહી છે.

આ સંસ્થાના સંચાલક દેવ વસીએ પોતાની કેરી અને ચીકુની વાડીમાં એક કુદરતી લાઇબ્રેરી ઊભી કરી છે.

આ જગ્યાને મોહન વાંચન કુટિર નામ આપવામાં આવ્યું છે.

કુદરતી વાતાવરણમાં આવેલી આ લાઈબ્રેરીમાં 2,000 પુસ્તકો રાખવામાં આવ્યા છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં હાલ 100થી વધારે લોકો આ લાઇબ્રેરીમાં આવીને વાંચનનો લાભ લઈ રહ્યા છે.

મોટાભાગે લાઇબ્રેરી બંધ મકાનમાં જ હોય છે, પરંતુ અહીં વાંચન માટે એક અલગ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.

 અહીં કુદરતી વાતાવરણમાં પક્ષીઓના કલરવ વચ્ચે પુસ્તક વાંચી શકાય છે. 

અન્ય  લાઇબ્રેરીની જેમ અહીં પણ મોબાઇલના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

આ પ્રાકૃતિક લાઇબ્રેરીમાં તબલાવાદન, પેન્ટિંગ, વેસ્ટ માંથી બેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કારકિર્દી માર્ગદર્શન, વાંચકોને મફત ચા-નાસ્તો આપવામાં આવે છે.

 અહીં નવસારી તથા આસપાસના લોકો પણ આ પ્રાકૃતિક લાઈબ્રેરીનો આનંદ માણે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...