કમર અને પીઠના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાંના કેટલાક સર્જિકલ ડિલિવરી, સુવાની ખોટી રીત, ભારે વસ્તુઓ ઉપાડવા વગેરેને કારણે થાય છે.
કમર અને પીઠનો દુખાવો દૂર કરવા માટે ઘણી દવાઓ છે પરંતુ કેટલાક આયુર્વેદિક ઉપાયોથી રાહત મેળવી શકાય છે.
આને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. આદુના એન્ટીઇન્ફ્લેમેટરી ગુણો પીડા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હળદરનું દૂધ પણ એન્ટીઇન્ફ્લેમેટરી ડ્રિંક્સમાં સામેલ છે. તેને બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં હળદર મિક્સ કરો. આ દૂધ રોજ રાત્રે પીવું ફાયદાકારક માનવામાં આવે છે.
ઠંડો શેક કમરના દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે. ઠંડા શેક માટે તમે કપડામાં બરફનો ટુકડો રાખી શકો છો.
જો તમે કમરના દુખાવાથી પરેશાન છો, તો એક ડોલ પાણીમાં એક ચમચી આખુ મીઠું મિક્સ કરો અને તેનાથી સ્નાન કરો. આ ઉપાયથી તમને કમરના દુખાવામાં રાહત મળશે.
સરસિયાના તેલમાં લસણ અને અજમો નાખીને ગરમ કરો. તેને કમર પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
આ પોઝ તમારા પીઠના નીચેના સ્નાયુઓને ખેંચવામાં અને પીડામાંથી રાહત આપવા માટે ખૂબ અસરકારક છે.
આ પોઝ તમારી કરોડરજ્જુની લવચીકતા વધારવામાં મદદ કરે છે. તે તમારી પીઠના સ્નાયુઓને ખેંચવાની પણ એક સરસ રીત છે
તમારે તમારા ડાયેટમાં કેલ્શિયમથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો. આ તમને કમર અને પીઠનો દુખાવો દૂર રાખવામાં મદદ કરશે