લીંબુ-મરચાના આ અચૂક ટોટકા તમને બનાવશે માલામાલ

હિન્દુ ધર્મમાં લીંબુ-મરચાનું ખાસ મહત્ત્વ છે. તમે જોયુ હશે કે લોકો પોતાના ઘર અને દુકાનની બહાર લીંબુ-મરચા લટકાવે છે.

માન્યતા છે કે તેનાથી તમારા વેપાર કે ઘરને નજર નથી લાગતી. વાસ્તુ શાસ્ત્રમાં લીંબુ-મરચાના ઘણા અચૂક ટોટકા જણાવવામાં આવ્યા છે.

લીંબુ-મરચાના આ અચૂક ટોટકા તમને માલામાલ બનાવી શકે છે.

જો તમને સફળતા ન મળતી હોય તો એક લીંબુ લઇને તેને માથા પરથી 7 વાર ઉતારો. હવે લીંબુના બે ટુકડા કરીને જમણા હાથના ટુકડાને ડાબી બાજુ અને ડાબા હાથના ટુકડાને જમણી બાજુ ફેંકી દો.

MORE  NEWS...

સૂર્ય ગ્રહણ પહેલા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓને થશે મહાલાભ, વધશે કમાણી

તુલસી સાથે આ 2 છોડ રાખવા અતિશુભ, સાચી જગ્યાએ મૂકીને મેળવો પિતૃ દોષમાંથી મુક્તિ

7 લીલા મરચા અને 7 લીંબુની માળા બનાવીને દુકાન કે ફેક્ટરીના મેન ગેટ પર લટકાવી દો. તેને એવી રીતે લટકાવો કે બધાની નજર પડે. તેનાથી તમારી જલ્દી પ્રગતિ થશે.

લીંબુ-મરચા અને 4 લવિંગ હનુમાનજીને અર્પિત કરો. માન્યતા છે કે તેનાથી ખરાબ નજર દૂર થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે.

જો તમને મનપસંદ નોકરી ન મળતી હોય તો એક લીંબુના ચાર ટુકડા કરીને ચાર રસ્તા પર અલગ-અલગ દિશામાં ફેંકી દો. આવું કરવાથી જોબ મળવાના યોગ બને છે.

જો તમને દુર્ઘટનાનો ડર રહેતો હોય તો તમારા વાહન પર લીંબુ-મરચા લટકાવી દો. તેનાથી દરેક પ્રકારની દુર્ઘટનાનું જોખમ ઓછુ થઇ જાય છે.

જો તમે તમારા પરિવાર અને ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માગતા હોય તો દર શનિવારે ઘરની બહાર લીંબુ-મરચા લટકાવી દો. સાથે જ તેનાથી પરિવારમાં પ્રેમ રહેશે.

જો તમે ચાર રસ્તા પર લીંબુ-મરચા પડેલા જુઓ તો તેને ભૂલથી પણ ઓળંગશો નહીં કે તેના પરથી ગાડી ન ચલાવો. નહીંતર તમારે મુસીબતોનો સામનો કરવો પડશે.

લીંબુ મરચાના આ અચૂક ટોટકા તમારા પણ કામ આવી શકે છે.

MORE  NEWS...

સૂર્ય ગ્રહણ પહેલા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓને થશે મહાલાભ, વધશે કમાણી

તુલસી સાથે આ 2 છોડ રાખવા અતિશુભ, સાચી જગ્યાએ મૂકીને મેળવો પિતૃ દોષમાંથી મુક્તિ