પિતૃ પક્ષની શરૂઆત ભાદરવા માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી થાય છે. પિતૃ પક્ષને શ્રાદ્ધના નામથી ઓળખાય છે.
18 સપ્ટેમ્બરથી પિંડદાન, બ્રહ્મભોજન, તર્પણ, દાન વગેરેનો આરંભ થઈ ગયો છે.
પિતૃ પક્ષમાં તર્પણ ઉપરાંત અમુક ખાસ છોડની પૂજા અને જળ અર્પિત જરૂર કરો, એનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
શ્રાદ્ધ પક્ષમાં પીપળાના છોડને ખાસ લગાવવું જોઈએ. આ ઉપરાંત પિતૃ પક્ષમાં રોજ પીપળાને જળ ચઢાવો. માન્યતા છે એનાથી પરિવારમાં ખુશી આવે છે.
તુલસીમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં તુલસીની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે, સાથે જ લક્ષ્મી ઘરમાં વાસ કરશે.
પિતૃ પક્ષ દરમિયાન શમીના છોડ પર જળ ચઢાવવું જોઈએ. એનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એમના આશીર્વાદથી અધૂરા કામ પુરા થઈ શકે છે.
જો કોઈ ખબર પડે કે, એમના પૂર્વજોને મોક્ષ નથી મળ્યો, તો એમણે વડના ઝાડ પર જળ અવશ્ય ચઢાવવું જોઈએ. એવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
પિતૃ પક્ષ દરમિયાન સાંજના સમયે જળ રાખવા વાળા સ્થાન પર પિતૃઓના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, એનાથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે.