Pitru Paksha 2023: પિતૃપક્ષમાં શું કરવું અને શું નહીં, અહીં જાણો

પિતૃ પક્ષમાં શું કરવું

પિતૃ પક્ષમાં સ્નાન, દાન અને તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પિતૃઓનું સ્મરણ

પિતૃપક્ષમાં પિતૃઓનું સ્મરણ કરતાં પાણીમાં કાળા તલ, ફૂલ, દૂધ, કુશ ભેળવીને તેનાથી તેમનું તર્પણ કરો.

ભોજન

પિતૃપક્ષના બધા જ દિવસો પિતૃઓ માટે ભોજન રાખો અને પછી તેને ગાય, કાગડા કે કૂતરાને ખવડાવી દો. આવું કરવાથી ભોજન પિતૃઓ સુધી પહોંચે છે.

MORE  NEWS...

રાહુ-કેતુ આ દિવસે બદલશે ચાલ, 4 રાશિના જાતકોને થશે લાભ જ લાભ

આજે પરિવર્તિની એકાદશી પર આ સરળ વિધિથી કરો પૂજા

Money Mantra 25 Sept: જાણો શું કહે છે તમારું રાશિફળ

બ્રહ્મચર્યનું પાલન

જો તમે પિતૃપક્ષમાં પિતૃઓનું તર્પણ કરો છો તો આ દરમિયાન તમારે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઇએ.

પિતૃપક્ષમાં શું ન કરવું

પિતૃપક્ષમાં માંસાહારી ભોજન અને લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઇએ, સાથે જ તેમાં માંગલિક કાર્યો કરવા વર્જિત હોય છે.

લસણ- ડુંગળી

પિતૃપક્ષમાં તર્પણ કરનાર લોકોએ ડુંગળી-લસણ અને માંસાહારી ભોજનનું સેવન ન કરવું જોઇએ, તેનાથી પિતૃઓ નારાજ થઇ જાય છે.

શાકાહારી વસ્તુઓ

માંસ-માછલી સાથે જ પિતૃપક્ષમાં કાકડી, જીરુ અને સરસવનું સેવન ન કરવુ જોઇએ.

માંગલિક કાર્ય

પિતૃપક્ષમાં માંગલિક કાર્યો કરવાની મનાઇ હોય છે. 15 દિવસ સુધી કોઇપણ પ્રકારના શુભ કાર્ય ન કરવા જોઇએ.

પશુ-પક્ષી

પિતૃપક્ષમાં ભૂલેચૂકે પણ પશુ-પક્ષીઓને હેરાન ન કરવા જોઇએ, આવું કરવાથી પિતૃઓ નારાજ થઇ જાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

બુધના રાશિ પરિવર્તનથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ

Shani: 4 નવેમ્બરથી શરુ થશે આ રાશિઓના સારા દિવસો