એક મુઠ્ઠી ચોખાથી કરો આ ખાસ ઉપાય, ધનથી ભરાઇ જશે તિજોરી

જ્યોતિષ શાસ્ત્રમાં ચોખા સાથે જોડાયેલા કેટલાંક ઉપાય જણાવવામાં આવ્યા છે.

આખા ચોખા એટલે કે અક્ષત વિના પૂજા-પાઠ નથી થતા. આ ચોખાથી કરવામાં આવેલા કેટલાંક ઉપાય જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ અપાવે છે.

સોમવારના દિવસે અડધો કિલો આખા ચોખા લો અને શિવજીના મંદિરમાં જઇને શિવલિંગ પર એક-એક મુઠ્ઠી ચોખા ચડાવો અને વધેલા ચોખા જરૂરિયાતમંદને દાન કરો.

ચોખાનો આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. અંતે કોઇ ગરીબને ચોખાનું દાન જરૂર કરો.

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ

નોકરી શોધી રહ્યાં હોય કે પ્રમોશન જોઇતું હોય તો મીઠા ભાત બનાવીને કાગડાને ખવડાવો. ચોખાનો આ ઉપાય કરવાથી નોકરીમાં સફળતા મળશે.

પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને રોટલી સાથે કાગડાને ખવડાવો. આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે.

મા લક્ષ્મીની કૃપા માટે પૂનમ કે કોઇ શુભ મુહૂર્તમાં લાલ કપડામાં હળદરથી રંગેલા 21 આખા ચોખા મૂકીને બાંધી દો.

તેને મા લક્ષ્મીની છવિ સામે મૂકીને વિધિ વિધાનથી પૂજા કરો. તેને તમારા પર્સ કે તિજોરીમાં મૂકવાથી ધનની કમી નહીં થાય.

જો કોઇ જાતકના લગ્ન ન થતાં હોય તો તેણે સોમવારે શિવજીને ચોખા અર્પિત કરવા જોઇએ. તેનાથી વિવાહના યોગ જલ્દી બને છે.

ચોખાના આ ખાસ ઉપાયથી તમે પણ આર્થિક તંગીથી બચી શકો છો.

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ