રાહુ-ગુરૂ યુતિ: આ રાશિઓનો શરુ થશે 'ગોલ્ડન સમય'

30 ઓક્ટોબરના રોજ રાહુ ગ્રહ રાશિ પરિવર્તન કરશે, જેનાથી રાહુ અને ગુરુની અશુભ યુતિ સમાપ્ત થશે.

આ યુતિના સમાપ્ત થવાથી કેટલીક રાશિઓની મનોકામના પુરી થઇ શકે છે. સાથે જ આકસ્મિક ધનલાભ થઇ શકે છે.

સિંહ: આ લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ સમયમાં પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

આવકમાં પણ વધારો થશે. જેઓને સંતાન જોઈતું હોય તેઓ સંતાન મેળવી શકે છે.

કામ અથવા વ્યવસાય માટે પણ મુસાફરી કરી શકો છો. ધાર્મિક અથવા શુભ કાર્યક્રમ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.

મેષ: ગુરુ અને રાહુનો યુતિ સમાપ્ત થવાથી તમારા લોકો માટે સારો લાભ થઈ શકે છે. અણધાર્યા પૈસા મળી શકે છે.

તમે માન અને પ્રતિષ્ઠા મેળવી શકો છો. અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે. દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.

શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નાણાંનું રોકાણ કરી શકો છો. સમય સાનુકૂળ છે. સાથે જ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.

ધન: આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. સાથે જ તમને કોઈપણ યોજનામાં સફળતા મળી શકે છે. તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોશો.

શેરબજારમાં તમને ફાયદો થશે. તેમજ જે લોકોનો વેપાર સોના-ચાંદી સાથે સંબંધિત છે તેમને સારો નફો મળી શકે છે.

નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અટકેલી વસ્તુ પાછી આવવાની શક્યતા છે અને તમને વ્યવસાયમાં સફળતા મળશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)