Shani Retrograde: શનિ વક્રી બગાડશે આ રાશિઓના દિવસો

શનિની ચાલમાં જયારે પરિવર્તન થાય છે તો એની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે.

જૂનના અંતમાં શનિની ચાલ બદલવાની છે, જેનો પ્રભાવ જુલાઈની શરૂઆતથી જોવા મળશે.

શનિ હાલ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. આ રાશિમાં શનિ 30 જૂનના રોજ વક્રી થવાના છે.

આ વખત ખાસ કરીને ત્રણ રાશિઓ પર કઠોર સમય લાવી શકે છે.

MORE  NEWS...

ધનના દેવ શુક્રએ કર્યો બુધની રાશિમાં પ્રવેશ, આ લોકોને મળશે ભાગ્યનો સાથ

શનિ ઉડાવાના છે આ રાશિઓની ઊંઘ! જુલાઈથી શરુ થશે કઠોર સમય

ગાયત્રી જયંતિ પર કરી લો આ ખાસ ઉપાય, થશે બુદ્ધિનો વિકાસ

મેષઃ- જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. વિવાદ શરૂ થઈ શકે છે. માનસિક તણાવ વધશે. કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે.

દુશ્મનો તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. ઘણા ક્ષેત્રોમાં આર્થિક નુકસાન થઇ શકે છે. સમયાંતરે મુસાફરી કરવી પડશે. જે ખર્ચાળ હોઈ શકે છે.

તુલાઃ- જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વધુ પડતા ખર્ચના કારણે મન પરેશાન રહેશે. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. હોસ્પિટલમાં જવું પડી શકે છે.

વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આળસને કારણે કામ સમયસર પૂરું નહીં થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન નહીં લાગે.

કુંભ: કોર્ટ કેસમાં નિર્ણય પક્ષમાં નહીં આવે. વિવાદમાં પડતા નહિ, ફસાઈ શકો છો. માનસિક તણાવ થઈ શકે છે. વાહન ચલાવો છો તો સાવધાનીથી ચલાવો.

બિનજરૂરી વિવાદો ટાળો. જ્યાં સુધી શનિ વક્રી રહે ત્યાં સુધી કોઈ નવું કાર્ય શરૂ ન કરવું. નાણાકીય તંગી પણ આવી શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

ધનના દેવ શુક્રએ કર્યો બુધની રાશિમાં પ્રવેશ, આ લોકોને મળશે ભાગ્યનો સાથ

શનિ ઉડાવાના છે આ રાશિઓની ઊંઘ! જુલાઈથી શરુ થશે કઠોર સમય

ગાયત્રી જયંતિ પર કરી લો આ ખાસ ઉપાય, થશે બુદ્ધિનો વિકાસ