શનિદેવની વક્રી ચાલ મચાવશે મોટી ઉથલપાથલ

દંડાધિકારી શનિદેવ 17મી જૂને વક્રી થઇ ચુક્યા છે. તે 4 નવેમ્બર સુધી આ અવસ્થામાં રહેશે. તેની તમામ 12 રાશિઓ પર અસર કરશે.

કેટલીક રાશિઓ પર શુભ અને કેટલીક અશુભ અસર કરશે. 3 રાશિઓને આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.

વક્રી શનિ તેમને માનસિક તણાવ આપશે. જેમની રાશિના જાતકોને સાડા સાતી ચાલી રહી છે તેમણે સાવચેત રહેવું જરૂરી છે.

મકર રાશિ:  આ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, પરંતુ બહુ સારું પરિણામ નહીં મળે. છતાં અભ્યાસ ચાલુ રાખીને જ્ઞાન પ્રાપ્ત કરતા રહો.

જીવનમાં એક પછી એક સમસ્યા આવતી હોય તો ચિંતા કરશો નહીં, ધીરજ રાખો અને બધું સારું થઈ જશે.

કુંભ રાશિ: કુંભ રાશિના યુવાનો આ વચ્ચે થોડા પરેશાન અને મૂંઝવણમાં રહેશે, કારણ કે વક્રી શનિ તેમને માનસિક તણાવ આપશે.

 આ રાશિના જાતકોની સાડાસાતી ચાલી રહી છે, તેવામાં શનિનું અનુશાસન માનવામાં જ ભલાઇ છે.

ચાર નવેમ્બર સુધી તમારે સાવચેતી સાથે કામ કરવાનું છે. આ રાશિના જાતકોમાં અહંકારનો ભાવ ન આવવો જોઇએ.

વિનમ્રતાની સાથે બુદ્ધિનો પ્રયોગ કરતાં પોતાના કરિયરમાં સિદ્ધી મેળવવાની છે.

મીન રાશિ: મીન રાશિના જાતકોએ પોતાના સ્વભાવમાં એક ખાસ વાતનું ધ્યાન રાખવું પડશે કે વક્રી શનિને કારણે વાણીમાં કઠોરતા આવી શકે છે.

કોઈની સાથે પણ નમ્રતાથી અને મીઠાશથી વાત કરો, નહીં તો તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે.

 જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેઓએ વધુ મહેનત કરવાની જરૂર છે.

શનિદેવ ઈચ્છે છે કે તમે સતત અભ્યાસ કરતા રહો તો જ તમને વિજય શ્રીના આશીર્વાદ મળશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો