શક્તિશાળી 'શત્રુહંતા યોગ', આ લોકોને ભાગ્ય આપશે સાથ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવગ્રહની સ્થિતિમાં પરિવર્તન સાથે ઘણા પ્રકારના શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે.

કન્યા રાશિમાં ગ્રહોના સેનાપતિ અને ભૂમિપુત્ર મંગળ ગ્રહ વિરાજમાન છે. ત્યારે આ રાશિમાં શત્રુહંતા યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

આ યોગ 18 સપ્ટેમ્બર સુધી રહેશે. એવામાં ઘણી રાશિઓને વિષેશ લાભ મળશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શત્રુહંતા યોગ બે શબ્દોથી બનેલો છે જેનો અર્થ થાય છે શત્રુઓનો નાશ કરનાર.

આ યોગ બનવાથી લોકોને દેવા, કાયદાકીય સમસ્યાઓથી રાહત મળે છે અને આર્થિક લાભ પણ મળે છે.

મેષ રાશિ: લોકોને કાયદાકીય મામલાઓમાં રાહત મળી શકે છે. પ્રોફેશનલ લાઈફમાં ઘણા પ્રકારના બદલાવ જોવા મળી શકે છે.

તમને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. તમારી મહેનતના આધારે દરેક રીતે પ્રશંસા મેળવશો. સમાજમાં માન-સન્માન પણ વધશે.

કર્ક: આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળશે. સમસ્યામાંથી છુટકારો મેળવશો.

આ સાથે નોકરી કરતા લોકો અને વ્યવસાય કરતા લોકોને પણ અચાનક આર્થિક લાભ થઈ શકે છે.

તુલા: પડકારોમાંથી મુક્તિ મેળવવાની હિંમત મળશે. નોકરી કરતા લોકો પોતાની મહેનતના આધારે ઊંચાઈને સ્પર્શશે.

તમારા દરેક પગલા પર દુશ્મનો હશે. પરંતુ તમે તેમને સરળતાથી હરાવી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)