9000ની પાર જશે આ કંપનીનો શેર, જલ્દીથી ખરીદી લો

બજાજ ફાઈનાન્સના શેરોમાં વર્તમાન સ્તરેથી લગભગ 21 ટકા તેજી આવી શકે છે. બ્રોકરેજ ફર્મ ઈનક્રીડ ઈક્વિટીઝે તેના હાલના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે.

બ્રોકરેજે બજાજ ફાઈનાન્સનો શેર ઉપર જવા પર ઘણો વિશ્વાસ છે અને તેમણે તેને હાઈ-કન્વિક્શનવાળો શેર જણાવ્યો છે. 

ઈનક્રીડ ઈક્વિટીઝે બજાજ ફાઈનાન્સના શેરને ADD રેટિંગ આપી છે અને તેના માટે 9,000 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈનક્રીડ ઈક્વિટીઝના પ્રમાણે, બજાજ ફાઈનાન્સનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ઝડપથી વધી રહ્યો છે. કંપની તેના હાઉસિંગ યૂનિટને શેરબજારમાં લિસ્ટ કરાવવા જઈ રહી છે. 

બ્રોકરેજે કહ્યું કે, કંપનીનો વધતો પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન તેની લાંબા ગાળાની ગ્રોથની શક્યતાઓને મજબૂત બનાવે છે, જેનાથી તેનો શેર 9,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

ઈનક્રીડના હાલના રિપોર્ટ પ્રમાણે, ચોમાસાની સારી સ્થિતિ અને રોજગારના સારા ડેટાથી ગ્રામીણ ભારતમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. તેનાથી બજાજ ફાઈનાન્સના ગ્રામીણ લેન્ડિંગ બુક પણ સારી થવાની આશા છે.

ગત 5 દિવસોમાં બજાજ ફાઈનાન્સના શેરમાં 5 ટકાથી વધારે તેજી જોવા મળી છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 8,192 રૂપિયા અને 52 સપ્તાહનું નીચુ સ્તર 6,187 રૂપિયા પ્રતિ શેર છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.