વર્ષોથી પરંપરાગત રાસ-ગરબામાં લાકડામાંથી બનાવાતા દાંડિયા મહત્વનો ભાગ છે

રજવાડી-સાદા સહિત વિવિધ પ્રકારના દાંડિયા બનાવવામાં આવે છે

પંચમહાલ જિલ્લાના ગોધરામાં દાંડિયા બનાવવાનો ગૃહ ઉધોગ ચાલે છે

ગોધરામાં દાંડિયા બનાવવાના અંદાજિત 150થી વધુ કારખાનામાં કાર્યરત છે

આ રંગબેરંગી દાંડિયા ગોધરાના મુસ્લિમ પરિવારો દ્વારા બનાવવામાં આવે છે

મુસ્લિમ સમાજના યુવા કારીગરો નવરાત્રિના 6 મહિના પૂર્વે દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે

રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદેશમાં અહીંથી દાંડિયાની નિકાસ કરવામાં આવે છે