ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માટે 6 ડિસેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે.

આજે એક નહીં પરંતુ ત્રણ એવા ક્રિકેટરોનો જન્મદિવસ છે જેમના વિના ટીમ ઈન્ડિયા પૂર્ણ થઈ શકે તેમ નથી.है

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

Ravindra Jadeja

ઈજાના કારણે ટીમની બહાર રહેલો જાડેજા આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા જાડેજાને ઘણી મિસ કરી રહી છે.

જાડેજાના નામે 482 આંતરરાષ્ટ્રીય વિકેટ ઉપરાંત 5,427 આંતરરાષ્ટ્રીય રન પણ છે.

ભારતીય બોલિંગની કરોડરજ્જુ ગણાતા જસપ્રીત બુમરાહ પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

Jasprit Bumrah

બુમરાહે 162 આંતરરાષ્ટ્રીય મેચમાં 319 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.

તે ભારતના કેટલાક એવા બોલરોમાંથી એક છે જેમને ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેવાનું ગૌરવ છે.

આજે ODI ક્રિકેટમાં શ્રેયસ અય્યર ટીમના ભરોસાપાત્ર ખેલાડીઓમાંથી એક છે. અય્યર આજે તેમનો 28મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

Shreyas Iyer

ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે અય્યર મોટો દાવેદાર છે.

આગામી વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ વધુ સારું પ્રદર્શન કરવું હોય તો આ ત્રણેય ખેલાડીઓનું યોગદાન મહત્વનું રહેશે.