Vastu Tips: ઘરમાંથી આજે જ કાઢીને ફેંકી દો આ છોડ, લાવે છે ગરીબી

ઝાડ છોડ આપણા જીવન માટે જેટલા જરૂરી છે, વાસ્તુની નજરથી આ છોડ સંપન્નતા અને સમૃદ્ધિ લાવવા માટે પણ કામ કરે છે.

કેટલાક છોડ ઘરમાં બરકત લાવે છે, તો કેટલાક એવા જેનાથી ઘરમાં ગરીબી આવે છે.

તો વાસ્તુ એક્સપર્ટ, શ્રુતિ ખરબંદા જણાવી રહી છે કે કેટલાક એવા છોડ અંગે, જેને ઘરમાં લગાવવું વાસ્તુની દ્રષ્ટિએ સારું નથી.

ઘરમાં કાંટાવાળા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ. ખાસ કરીને જ્યારે તમારી અંદર સંતુલન ન હોય, અથવા તમે એટલા મેચ્યોર ન હોવ

જેમનો ગુસ્સો ખૂબ જ પ્રબળ હોય છે, પોતાના પર નિયંત્રણ નથી હોતું. પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે. તેમણે ન લગાવવા આવા છોડ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાંટાવાળા છોડને ઘરમાં રાખવાનો અર્થ તમારા દુશ્મનો વધારવાનો થાય છે.

MORE  NEWS...

ભાગ્યનો કારક ગુરુ કરશે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓની લાગશે લોટરી

મંદિરમાંથી બહાર નીકળતી સમયે શું તમે પણ વગાડો છો 'ઘંટ'? ક્યારેય ન કરતા આવી ભૂલ

શનિની ઊલટી ચાલ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય, જીવશે લક્ઝરી લાઈફ 

ઘરની અંદર બીલીનું ઝાડ પણ લગાવવાની મનાઈ છે. આનાથી મિલકતના વધુ વિવાદો થાય છે. ઘરમાં બીલીનું ઝાડ વાવવાથી સંઘર્ષ વધે છે.

કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે, પરંતુ યાદ રાખો કે ઘરની અંદર કેળાનું ઝાડ ક્યારેય ન લગાવવું જોઈએ.

આનાથી ઘરના છોકરાઓ ખીલતા નથી અને સમૃદ્ધ થતા નથી. છોકરાઓ પોતાનો ધંધો ન ચલાવી શકવાના કારણે ડિપ્રેશનમાં પણ જાય છે.

ઘરમાં કોઈપણ પ્રકારના સુકાઈ ગયેલા છોડ ન રાખવા જોઈએ. આ છોડ જીવનમાં નકારાત્મકતા પણ લાવે છે.

તમારા ઘરમાં કોઈપણ સદાબહાર છોડ લગાવી શકો છો. તે તમારા માટે બુધનું તત્વ રજૂ કરે છે, જે સુકાઈ જતા નથી.

તમારે તમારા ઘરમાં તુલસીનું વાવેતર કરવું જોઈએ. જે ઘરમાં તુલસી હોય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. તમે ફળ અથવા ફૂલોના છોડ રોપી શકો છો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

ભાગ્યનો કારક ગુરુ કરશે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓની લાગશે લોટરી

મંદિરમાંથી બહાર નીકળતી સમયે શું તમે પણ વગાડો છો 'ઘંટ'? ક્યારેય ન કરતા આવી ભૂલ

શનિની ઊલટી ચાલ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય, જીવશે લક્ઝરી લાઈફ